Vishesh News »

વલસાડમાં રોટરી અને બી.કે.ના ઉપક્રમે વ્ચ્ઝ઼હ્ના વક્તાનું વ્યાખ્યાન યોજાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૪ ઃ મારી પાસે હ્લયદ રોગના આવતા અનેક દર્દીઓમાં ૩૦ ટકા દર્દીઓ ૪૦ વર્ષથી નીચેના છે. આધુનિક જમાનાની લાઇફ સ્ટાઇલના કારણે યુવાનોમાં હ્લદય રોગનું પ્રમાણ વધી રહ્નાં છે. જેના કારણે તેનાથી બચવા લાઇફ સ્ટાઇલમાં બદલાવ ખૂબ જરૂરી હોવાનું દિલ્હીના જાણિતા અને વ્ચ્ઝ઼હ્ ના વક્તા ડો. મોહિત ગુાઍ વલસાડ મોરારજી દેસાઇ ઓડિટોરિયમમાં રોટરી ક્લબ અને બ્રહ્માકુમારીઝ આયોજિત ઍક કાર્યક્રમમાં જણાવ્યું હતુ. તાજેતરમાં ગુજરાતભરમાં અનેક યુવાનો હૃદયરોગના આકસ્મિક હુમલાથી મોતને ભેટી રહ્ના છે. આવા બનાવો ન બને તેની જાગૃતિ ફેલાવવા માટે સ્વસ્થ હૃદય અને પ્રસન્ન મનનું રહસ્ય વિષય પર દિલ્હીના સિનિયર હૃદય રોગના નિષ્ણાત ડો. મોહિત ગુાના વક્તવ્યનું આયોજન કરાયું હતુ. જેમાં તેમણે હેલ્ધી લાઇફ સ્ટાઇલ અંગે વિગતવાર માહિતી આપી હતી. હ્લદય રોગ અંગે તેમણે સ્વસ્થ મન પર ખૂબ ભાર આપ્યો હતો. તેમણે દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે, જો તમે શારિરીક રીતે સ્વસ્થ હોવ પરંતુ, તમે માનસિક રીતે ડિસ્ટર્બ હોવ, ત્યારે તમને કંઇ પણ કરાવાનું મન થતું નથી. તમે આનંદીત રહી શકતા નથી, પરંતુ તમે શારિરીક રીતે થોડા બિમાર હોવ, પરંતુ તમે માનસિક રીતે ખૂબ સ્વસ્થ હોવ તો તમે આનંદિત થઇ શકો છે અને તમે નાની બિમારીને અવગણી પોતાની મનપસંદ પ્રવૃત્તિ પણ કરી શકો છે. માટે સ્વસ્થ હ્લદય માટે પ્રસન્ન મન ઍક ગુરૂચાવી હોવાનું તેમણે પોતાના વક્તવ્યમાંં જણાવ્યું હતુ. આ સાથે તેમણે યુવાવસ્થામાં જ લાઇફ સ્ટાઇલ બેલેન્સ કરવાના સૂચનો કર્યા હતા. સાંજે ૯ પછીના ભોજનને તેમણે ઝેર ગણાવ્યું હતુ. જો ના છૂટકે ૯ પછી ભોજન કરવું પડે ઍવી પરિસ્થિતિ હોય તો, ભોજનમાં વધુને વધુ સલાડ અને ખીચડી જેવો હલકો ખોરાક લેવાનું તેમણે જણાવ્યું હતુ. આ સિવાય લાઇફ સ્ટાઇલમાં તેમણે બહારના ફાસ્ટ ફૂડથી દૂર રહેવાનું સૂચન કર્યું હતુ. આ કાર્યક્રમમાં ડો. મોહિત ગુાનો પરિચય સીઍ જીજ્ઞેશ વસાણીઍ આપ્યો હતો. કાર્યક્રમમાં રોટરી પ્રમુખ મનિષ ભરૂચા અને બ્રહ્મા કુમારીઝના રંજન દીદી ખાસ ઉપસ્થિત રહ્ના હતા. આભાર વિધિ હિતેશ મિસ્ત્રી ઍ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.