Vishesh News »

વાપીથી બીજી આસ્થા સ્પેશિયલ ૨૦મી ઍ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૦૭ ઃ અયોધ્યા રામ મંદિરના દર્શન માટે સ્પેશિયલ ટ્રેન આસ્થા વાપીથી ૨૦ ફેબ્રુઆરીઍ બપોરે ૧.૩૦ કલાકે અયોધ્યા માટે રવાના થશે. આ ટ્રેન ૨૨ ફેબ્રુઆરીઍ સવારે ૩.૩૦ કલાકે અયોધ્યા પહોંચશે. તે ફરીથી ૨૩ ફેબ્રુઆરીઍ સવારે ૯ વાગ્યે અયોધ્યાથી ઉપડશે અને ૨૫ ફેબ્રુઆરીઍ સવારે ૩.૩૦ વાગ્યે વાપી પરત ફરશે. ભાજપના વરિષ્ઠ નેતા અનિલ દીક્ષિતે કહ્નાં કે રસ ધરાવનાર ધર્મપ્રેમીઓ તેમના નામ નોંધાવી શકે છે. પહેલી આસ્થા ટ્રેન ૬ ફેબ્રુઆરીઍ વાપીથી અયોધ્યા સુધી દોડી છે. જેમાં દાનહ ઉપરાંત વાપી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા ગયા છે. આસ્થા ટ્રેનમાં ભક્તોને તમામ સુવિધાઓ મળે છે.