વાપીની કવયિત્રી દી મિશ્રાને શ્રેષ્ઠ પુસ્તકનો પુરસ્કાર મળ્યો
- byDamanganga Times
- 17 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપી મેગેઝિન. હિન્દી દિવસ પ્રસંગે વાપીની કવયિત્રી દિી મિશ્રાઍ સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. તેમની પ્રથમ કૃતિ, પ્રીત કે અનુબંધ, ને ૧૪ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર સમારોહમાં હિન્દી ભાષા અને સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તક તરીકે સન્માનિત કરવામાં આવી હતી.
દિી મિશ્રાને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સન્માન પ્રમાણપત્ર ઍનાયત કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર તેમની સાહિત્યિક રચનાઓ, સંવેદનશીલ કવિતા અને હિન્દી ભાષા પ્રત્યેના સમર્પણને સન્માનિત કરે છે. તેમના કાવ્યસંગ્રહ માટે આ પ્રતિષ્ઠિત સન્માનથી વાપીના સાહિત્યિક સમુદાયમાં આનંદ ફેલાયો છે.
હિન્દી દિવસ નિમિત્તે પ્રા થયેલી આ સિદ્ધિને વાપી હિન્દી કાવ્ય મંચના વડા શિવબક્ષ યાદવ સહિત સાહિત્ય પ્રેમીઓઍ વાપી માટે ગર્વની વાત ગણાવી છે અને દી મિશ્રાને અભિનંદન પાઠવ્યા છે.
