વાપીમાં રાજસ્થાન પ્રગતિ મંડળ દ્વારા આરોગ્ય જાગૃતિ શિબિર યોજાઈ
- byDamanganga Times
- 26 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ હાલમાં ફેલાતા મોસમી રોગોના નિવારણ અને સારવાર અંગે જાગૃતિ લાવવા માટે રવિવારે રાજસ્થાન ભવન ખાતે ઍક આરોગ્ય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટની આરોગ્ય અને કલ્યાણ સમિતિ દ્વારા આયોજિત, શિબિરમાં ખુલાસો થયો કે આપણા સ્વાસ્થ્યની ચાવી આપણા પોતાના હાથમાં છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોમિયોપેથિક ક્લિનિકના ઇન્ચાર્જ ડૉ. તનુ છાબરા ઍ સમજાવ્યું કે આ ઋતુ દરમિયાન આપણા આહાર અને દિનચર્યામાં સાવચેતી રાખીને, વાયરલ તાવ, ગળામાં દુખાવો, કફ, ઉધરસ અને શરીરમાં દુખાવો જેવી ઘણી બીમારીઓથી બચી શકાય છે. તેમણે હોમિયોપેથિક દવાઓ વિશે પણ માહિતી આપી હતી. જે કોઈપણ આડઅસર વિના સારવાર આપી શકે છે. ટ્રસ્ટ દ્વારા શિબિરમાં ભાગ લેનારાઓને તાવ, શરીરના દુખાવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મફત દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું. શિબિરના બીજા તબક્કામાં, મહિમા વિનય મહેશ્વરીઍ ઍક્યુપ્રેશરના સિદ્ધાંતો, ફાયદા અને ઉપયોગો વિશે માહિતી આપી હતી.
શિબિરના સંયોજક સાજન સિંઘલે સૌનો આભાર વ્યક્ત કર્યો. શિબિરના લાભાર્થીઓઍ તેમની પ્રશંસા વ્યક્ત કરી અને તેને અત્યંત ફાયદાકારક ગણાવી અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવા વિનંતી કરી.
