Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરમાં ભાજપ અગ્રણીઅોઍ શિવજી મહારાજના આશીર્વાદ લીધા

વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરમાં ભાજપ અગ્રણીઅોઍ શિવજી મહારાજના આશીર્વાદ લીધા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ ગુરુપૂર્ણિમા ઍ ગુરુ પ્રત્યય આદર, અને કૃતજ્ઞતા, વ્યક્ત કરવાનો પવિત્ર તહેવાર છે. જે અષાઢ મહિનાની પૂનમ દિવસે ઉજવાય છે. આ દિવસ ને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે, શિવજી મહારાજ ઍ જણાવ્યું હતું કે બધા શિષ્યો પર ગુરુની કૃપા બની રહે, આજ રોજ ગુરુપૂર્ણિમાની પૂજા કરવામાં આવે છે. અને ગુરુજીના આશીર્વાદ લેવામાં આવે છે, ભીડભજન મહાદેવના મંદિરના ૧૦૦ વર્ષ પૂર્ણ થયા, અને ગુરુજી બ્રહ્મલીન સદગુરુ દેવ સ્વામી શ્રી અખંડાનંદજી મહારાજ, જેવો શિવજીના ગુરુ છે, તેમની પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા હતા.  ગુરુપૂર્ણિમા નિમિત્તે ભાજપના અગ્રણીઓ સોનલ સોલંકી,પ્રવીણા પટેલ, વગેરે સાથે મળી શિવજી મહારાજને સાલ ઓઢાડી, સન્માન કરી  જ આશીર્વાદ લીધા હતા.