બીલીમોરા રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે આધેડનું કરુણ મોત
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૧ ઃ બીલીમોરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પાસે મંગળવારે રાતના કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેનની અડફેટે આવી જવાથી વાંસદા વિસ્તારના આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રા વિગતો અનુસાર નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ (કાજીયાકુવા ફળીયા) ના રહેવાસી ચીમનભાઈ જીવલાભાઈ પટેલ (૫૮) તા.૧૦ માર્ચ ના મંગળવારે રાત્રે ૯ વાગ્યા પહેલા બીલીમોરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ના ઉત્તર છેડે કિલોમીટર નંબર ૨૧૬/૧૭ખ્-૧૩ વચ્ચે અપ રેલવે લાઈન પર કોઈ અજાણી અપ ટ્રેનની અડફેટે આવી જતાં તેમના શરીરે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
બીલીમોરા રેલવે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
